લોકશાહી
આપણને લોકશાહી જ ફાવે . આમ આપણે પેટાસરમુખત્યારો જીરવી લઈએ , પણ ફાવે તો તોય લોકશાહી જ . સત્યના ભોગે આપણે વાણી સ્વાતંત્ર્ય માણીએ , કારણ શું કે લોકશાહી હોય એટલે કાંઈ લોકોની લાગણીઓ થોડી દુભાવાય ? એટલે પછી ક્યારેક સત્ય , નીતિમત્તા આવું બધું જતું કરવું ય પડે ! ગુનેગારો અને આતંકવાદીઓ માટે પાણીની જેમ પૈસા વહાવતો દેશ લોકશાહી માટે આટલી કિંમત તો ચૂકવી જ શકે ને !? એક ખાલી ધર્મ બાકાત રહે લોકશાહીમાંથી ... ધર્મમાં લોકશાહી ના જ હોય એમાં કોઈ ગમે એમ બોલી , પહેરી કે વર્તી ના શકે ( કોઈને નડતું ના હોય તો પણ ). એમ તો વસ્તીગણતરીમાં ય દેશના કેટલાય જીવતા જાગતા લોકો બાકાત રહી જ જાય છે ને ! તો ય આપણે ગણાઈ જઈએ એટલે આપણને સંતોષ નથી થઈ જતો ? લોકશાહીમાંથી બાકાત રહેલો ધર્મ અને વસ્તીગણતરીમાંથી બાકાત રહેલા લોકોની આગવી લોકશાહી કે સરમુખત્યારશાહી હોય છે . એનાથી આપણને શું ફેર પડે ? આપણે તો આ લોકશાહીમાં જ માનીએ , જેમાં બધા જીવે છે . બધા માને એવું માનવા માટે જ તો લોકશા...